વ્યસનમુક્તિ અભિયાન:

સંસ્થા દ્રારા 2 ઓકટોબર 2000થી નિરંતર ચાલી રહેલ વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોમાં સેમિનાર, તજજ્ઞો દ્રારા પ્રવચન, વકતૃત્વ સ્પર્ધા, શેરી નાટક, પત્રિકા, જા ખ., બેનર, પોસ્ટર પ્રદર્શન, સ્પે. ડોક્યુમેન્ટરી ફિલ્મ શો, ડી-હાઈડ્રેશન પ્લાન્ટ, હીરાનાં કારખાનાં, શ્રી ખેતીવાડીઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતો, વ્યાપારીઓ, મજૂરો સાથે સંવાદ, વિદ્યાર્થી રચિત માનવ સાંકળ, વ્યસન- નશાના દૈત્ય દહન વિગેરે કાર્યક્રમો યોજી હજારો લોકોને પોતાના વ્યસન છોડવા જાગૃત કરી ચૂક્યા છીએ.

તે પૈકી 1100+ ભાઈ-બહેનો એ પાન, માવા, ગુટકા, બીડી, સિગારેટ, શરાબના વ્યસન છોડેલ છે.